અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં 14 માર્ચે અસામાજિક તત્ત્વોએ તલવાર અને ધોકા જેવા હથિયારો વડે આતંક મચાવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે 14 લોકોની ધરપકડ કરી હતી. આ 14 આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જોકે, આ ઘટનાનો મુખ્ય આરોપી પંકજ ભાવસાર પોલીસ પકડથી હજુ દૂર છે.

