અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આજે અમદાવાદ સિવિલમાં પીએમ મોદીએ ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ ગત રોજથી વિમાન દુર્ઘટનાસ્થળ પર GSTVની ટીમ સતત અપડેટ સાથે રિપોર્ટ કરી રહી છે.