Home / Gujarat / Ahmedabad : VHP strongly opposes controversial statement by Swaminarayan sect saints

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટ મુદ્દે VHP મેદાને, કહ્યું આવા નિવેદનો અયોગ્ય અને અસ્વીકાર્ય

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટ મુદ્દે VHP  મેદાને, કહ્યું આવા નિવેદનો અયોગ્ય અને અસ્વીકાર્ય

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દેવી-દેવતાઓ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ હવે મેદાને આવી છે. VHPએ આ નિવેદનોને સખત રીતે  વખોડ્યા છે અને તેને સનાતન ધર્મની વિરુદ્ધ ગણાવ્યું છે. VHPના અશોક રાવલે જણાવ્યું કે સનાતન ધર્મમાં કોઈપણ હિન્દુ ધર્મનો વિરોધ કરવો એ અયોગ્ય છે અને આવા નિવેદનો સ્વીકાર્ય નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અવિચલદાસજી મહારાજ સાથે વાતચીત થઈ

અશોક રાવલે જણાવ્યું કે આ અંગે સવારે અવિચલદાસજી મહારાજ સાથે વાતચીત થઈ છે અને જુનાગઢના શંકરાચાર્યજી સહિત તમામ સાધુ-સંતોને આ બાબતની જાણ કરવામાં આવી છે.

તમામ સાધુ-સંતોને એકઠા કરવાનો નિર્ણય લીધો

VHPએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને આગામી સમયમાં તમામ સાધુ-સંતોને એકઠા કરવાનો નિર્ણય લીધો છે, જેથી આ વિવાદ પર વિચાર-વિમર્શ કરીને યોગ્ય પગલાં લઈ શકાય. અશોક રાવલે સ્પષ્ટ કર્યું કે આ ઘટના સનાતન ધર્મની એકતા અને માન્યતાઓને નુકસાન પહોંચાડે છે, અને તેનો સામનો કરવા માટે VHP પ્રતિબદ્ધ છે.

Related News

Icon