રાજ્યમાંથી વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે અમરેલી - ધારી ચલાલા નજીક મોડી રાત્રે ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારી દીધી હતી.ઉનાથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માતના કારણે પલ્ટી મારી હતી.આ દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
આ દુર્ઘટનામાં 18 મુસાફરો ઈજાગ્રસ્ત
દુર્ઘટનામાં ઈજાગ્રસ્તો મુસાફરોને સારવાર માટે ચલાલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ધારાસભ્ય જે વી કાકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી હોસ્પિટલ પહોંચ્યા હતા.
5 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલી સિવિલ ખસેડ્યા
5 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે અમરેલીના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.