
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને હવે 61 થઈ ગયો છે. અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6 બાળકોએ શંકાસ્પદ ચાંદીપુરાથી જીવ ગુમાવ્યો છે. નોંધનીય છે કે, ગુરૂવારે (પહેલી ઓગસ્ટ) સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેનો બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પોયડા ગામના એક વર્ષના બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર તાલુકાને ઝપેટમાં લીધા પછી હવે ચાંદીપુરા વાયરસ અન્ય તાલુકાઓમાં પ્રસરી રહ્યો છે.પ્રાતિંજ તાલુકામાં બે મોત સાથે જિલ્લામાં કુલ મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.
જાણો ક્યા કેટલા કેસ નોંધાયા
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસના 56 પોઝિટિવ કેસ છે. જેમાં સાબરકાંઠામાં 6, અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અરવલ્લી, દાહોદ, કચ્છમાં 3, ગાંધીનગર, મહીસાગર, સુરત 2, ખેડામાં 5, મહેસાણામાં 5, પંચમહાલમાં 7, જામનગર, મોરબી, વડોદરા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, પોરબંદર, પાટણમાં 1 કેસ નોંધાયો છે.