ગુજરાતના દાહોદ જિલ્લામાં ખોટા દસ્તાવેજો ઊભા કરીને મનરેગા યોજનામાં કૌભાંડ મામલે પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના બે પુત્રોની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે સેશન્સ કોર્ટે મંત્રીના બંને પુત્રોને જામીન આપ્યા છે. પોલીસે જામીન રદ કરવા માટે રીવીઝન અરજી કરી હતી. જોકે, સેશન્સ કોર્ટે આ અરજી ફગાવીને મંત્રીના બંને પુત્રોના જામીન મંજૂર કર્યા હતા. જ્યારે મનરેગા કૌભાંડના પહેલા કેસમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને જામીન મળ્યા છે, ત્યારે બંને હજુ બીજા કેસને લઈને જેલમાં બંધ છે.

