
Gandhinagar news: રાજ્યમાં ભાડાપટ્ટાની જમીનના માલિકના હકને લઈ ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સાત વર્ષથી લઈને 30 વર્ષ સુધીના ભાડાપટ્ટાની જમીન કાયમી કરવાનો નિર્ણય રાજ્યના મહેસૂલ વિભાગે ઠરાવ રદ્દ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અગાઉ રાજ્યના સિટી સરવે વિસ્તારમાં લાંબા અથવા ટૂંકા ગાળાના ભાડાપટ્ટાની જમીનોને આપવાનો જે ઠરાવ કરવામાં આવ્યો હતો તેને સરકારે રદ્દ કરી દીધો છે.