
નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં 20 -20 ઈ રીક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. સાંસદની સાથે આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધ કર્યો છે. બંને નેતાઓ ઇ રીક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા છે.
કાર્યક્રમ મોકૂફ રખાયો
નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વછતા માટે ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમ માંમુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા એ આ ઈ રીક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રીક્ષા કે જે એક વર્ષ પણ ના ચાલે અને જેનું 3,10,000 નું બીલ મૂકી એજન્સી અને અધિકારીઓ એ મલાઈ ખાઇ ઓડકાર લઈ લીધો હોય એવા ભ્રષ્ટાચાર નું અમારા હાથે વિતરણ કરીએ તો આવતી કાલે અમે હાસીને પાત્ર બનીએ એના કરતા આ વિતરણ અમે નહીં કરીએ ની વાત કરતા.સામે ઈ રીક્ષા લેવાની સરપંચો એ લેવાનો ના પાડતા મામલો ગરમાયો અને કાર્યક્રમ તંત્ર એ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
ડબલ ભાવના બીલ
આ બાબતે ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે, સ્વચ્છભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. સામાન્ય રીતે જોઈએ તો 1 થી 1.50 લાખ રૂપિયામાં આ ઈ રીક્ષા આવે પણ એજન્સી 3.10 લાખ નું બિલ મૂકતા સીધા એક લાખ થી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓ ના નામે 20x 5 100 ઈ રીક્ષા આપવામાં આવી જેની કિંમત 3.10 કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડો નો ભ્રષ્ટાચાર છે.હાલ તો આ ઇ રીક્ષા નું વિતરણ માં એક તરફ ભાજપ ના નાંદોદ ના ધારાસભ્ય વિતરણ કરે છે બીજી બાજુ આજ ભાજપ ના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે આ એજન્સી પર શુ કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું..