
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેસમાં જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર સુપ્રિમ કોર્ટમાં જશે. આ મામલે રાજકોટ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આરોપીઓના જામીન રદ થાય તે માટે પોલીસ કાર્યવાહી કરશે. ટૂંક સમયમાં મંજુરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. અગ્નિકાંડ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળ્યા છે. આરોપીઓને જામીન મળતાં પીડિત પરિવારોમાં પણ રોષ જોવા મળ્યો હતો. પરિવારે આરોપીઓના જામીન રદ કરવાની માંગ કરી હતી.