સાબરકાંઠા / સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર બદલાયા બાદ પણ ભાજપ કાર્યકરોનો વિરોધ યથાવત છે. જેને લઈને ભાજપ સંગઠનના હોદેદારો અને સહકારી આગેવાનો સાથે એક બાદ એક બેઠકો કરી રહી છે. જો કે આ વિરોધ હજુ શાંત થયો નથી. ભાજપના કાર્યકરોને એક જ માંગ છે છે આયાતી ઉમેદવારની ટિકિટ રદ કરી ભાજપના કાર્યકરને ટિકિટ આપવામાં આવે. હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોના ટોળા એકઠા થયા છે.

