નવસારીમાં ડીસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હરેશકુમાર દગાયાની ૧૨ વર્ષની પુત્રી આન્યાનું ૨૨ જુનના રોજ દાદર પરથી આકસ્મિક રીતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. બાદમાં સગીરાના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ઉજ્જૈન, મધ્યપ્રદેશની રહેવાસી ૨૯ વર્ષીય યુવતીમાં અમદાવાદ ખાતે કરાયું હતું. કિડની, લિવર અને પેન્ક્રીયાસનું ટ્રાન્સપ્લાન્ટ ચાર સહિત કુલ પાંચને જરૂરીયાતમંદ દર્દીઓમાં થતાં તેમને પણ નવું જીવન મળ્યું હતું.

