સુરતમાં ગરીબોને અપાતા સરકારી અનાજમાં ગોલમાલ થતી હોવાનું સામે આવ્યું છે. ખુદ ભાજપ કોર્પોરેટર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ હવે સુરત પૂરવઠા વિભાગ હરકતમાં આવ્યું છે. પૂરવઠા વિભાગ દ્વારા 16 ટિમો બનાવામાં આવી છે. જે 60 દુકાનદારો સામે 16 ટીમો તપાસ કરશે. દુકાનદારોના તમામ અનાજ સીઝ કરી તપાસ કરવામાં આવશે. કોઈ ખામી કે બેદરકારી દવાખાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પૂરવઠા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

