અનરાધાર પડી રહેલા વરસાદે ફરી એકવાર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ તો ખોલી જ નાખી છે. સાથે જ ખાડીઓના ડ્રેજીંગને લઈને કરવામાં આવતાં દાવાઓને પણ પોકળ સાબિત કરી દીધા છે. સુરત મહાનગરપાલિકાની નબળી અને બેદરકારીયુકત પ્રિ-મોન્સુન કામગીરી તેમજ ખાડી ડ્રેજીંગનાં કામમાં માત્ર વેઠ ઉતારવાના કારણે ગરીબ શ્રમિક પરિવારો સહિત શહેરનાં સામાન્ય પ્રજાજનો થયા ત્રાહિમામ થયા છે. જવાહર નગર, ઉમરવાડાના નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘુસી ગયા હતાં. જેથી વૃધ્ધો અને બાળકોના રેસ્ક્યું કરવામાં આવ્યાં હતાં.