સુરત: RTEને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, RTE હેઠળ ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદ્દત વધારવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો થઈ શકે છે. પહેલા RTE હેઠળ રૂપિયા 1,20,000 ની આવક મર્યાદિત હતી તે વધારીને 6 લાખ સુધીની થઇ શકે છે. RTEમાં આવક મર્યાદા 6 લાખ કરવામાં આવી શકે છે.

