
સુરત શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ભાજપના વોર્ડ નં. 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહ સામે દુષ્કર્મનો ગંભીર કેસ લાગ્યો છે. બંનેએ સામે એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો છે. જેના આધારે સુરત પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા બંને આરોપીઓને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બન્નેને ઝડપી લેવાયા
પ્રાથમિક માહિતી મુજબ, આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહે સાથે મળીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ઘટના સંબંધિત વિગતો પીડિતના નિવેદનના આધારે પોલીસને મળી છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે અને ગંભીર આરોપોની શોધખોળ શરૂ કરતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે.
આરોપી પાસે ભાજપના મહામંત્રીનો હોદ્દો
આદિત્ય ઉપાધ્યાય ભાજપના સ્થાનિક સ્તરના મહામંત્રી તરીકે કાર્યરત હતા, જે સમાજમાં એક ઓળખ ધરાવતા હતા. તેમની ધરપકડ બાદ રાજકીય પડઘા પણ પડવાનું ધારણ છે. પાર્ટી તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મહત્વની વાત એ છે કે કોઇપણ વ્યક્તિ, તેની ઓળખ કે પદ ભલે જેવુ હોય, કાયદાથી ઉપર નથી. આ ઘટના સામે યુવતીઓની સુરક્ષા અંગે ફરીવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક જનતામાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આરોપીઓને કડકથી કડક સજા થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે.