Home / Gujarat / Surendranagar : Dhrangadhra craftsman creates over 1,800 idols for Ayodhya's Ram temple

VIDEO: અયોધ્યાના રામમંદિર માટે ધ્રાંગધ્રાના કારીગરે 1,800થી વધુ મૂર્તિઓ તૈયાર કરી

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ધ્રાંગધ્રાના શિલ્પ કલાકારે બનાવેલી મૂર્તિઓનું પણ સ્થાપન કરાયું છે. હાલમાં જ રામ મંદિરમા પહેલા માળે રામ દરબાર સહિત સાત અન્ય દેવ પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આ રામ મંદિરમાં ઠેર-ઠેર વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ મંદિરની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારના શિલ્પકાર દ્વારા કરવામાં આવેલી મૂર્તિઓ મંદિરના વિવિધ ભાગમાં મુકાઈ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધ્રાંગધ્રાના સોમપુરા દ્વારા બનાવેલી મૂર્તિઓ મંદિરના પિલ્લરની શોભા વધારી રહી છે. મંદિરના બહારના પરિસરમાં જે ઘુમ્મટ, પ્રદક્ષિણા પથ, શિખરનો ગોખ અને મંદિરના વિવિધ સ્તભોમાં આ મૂર્તિઓ લગાવવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરમાં લગભગ 1,800થી વધુ વિવિધ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. 30થી વધુ કારીગરોની ટીમે અયોધ્યા અને ધ્રાંગધ્રા બંને જગ્યાએ રહીને મૂર્તિઓ તૈયાર કરી છે.

Related News

Icon