રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે માલવણ ચોકડી પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા છે. આઇસરના ચાલકે સાઈડ લાઈટ બતાવ્યા વગર એકાએક વળાંક લેતા અકસ્માત સર્જાયો હતો.

