
Tapi News: ગાંધીનગરથી સોનગઢ જતી એસટી બસના ચાલકનું ફરજ દરમ્યાન મોત નિપજ્યું છે. મૂળ નડિયાદના જી.સી.રાવલ નામના ચાલકને ખેંચ આવતા મોત નિપજ્યું હતું. સોનગઢ ડેપોની એસટી બસ ગાંધીનગરથી સોનગઢ જતી હતી જે વેળાએ ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર, વ્યારા નગરમાં આવેલ ઈંગ્લીશ મીડિયમ શાળા નજીક આ ઘટના બની હતી. એસટી બસના ચાલકને ખેંચ આવતા બસ થોભાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. એસટી બસ ઉભી રાખી દીધા બાદ ચાલકનું મોત નિપજ્યું હતું. જેથી તેમના મૃતદેહને પોસ્ટમોટર્મ સહિતની કાર્યવાહી માટે વ્યારા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.