Home / Gujarat / Vadodara : Congress leader Amit Chavda makes serious allegations against the government in the bridge accident case

સરકાર વહેલા કેમ નથી જાગતી? કોંગ્રેસ નેતા અમિત ચાવડાના બ્રિજ દુર્ઘટના મામલે ચાબખા

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક સહિત પાંચ વાહનો નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે

કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ આરોપ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે  સરકારી તંત્રની બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. જો બ્રિજ ભયજનક હોય તો તેને બંધ કરવો જોઈએ. સરકાર આ પ્રકારના બનાવ બન્યા પછી જ કેમ જાગે છે. સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. તો બીજી તરફ આ દુર્ઘટના કઈ રીતે થઈ તેની યોગ્ય તપાસ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અમતિ ચાવડાએ ચાબખા માર્યા હતા કે શા માટે સરકાર વહેલા કેમ નથી જાગતી.

Related News

Icon