
વડોદરાના રણોલીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકના મોતને પગલે ખળભડાટ મચી ગયો છે..યુવકની સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વિગત અનુસાર સંબંધીએ યુવકને જમવા માટે ગઈકાલે ફોન કર્યો હતો..પરંતુ યુવકે ફોન ન ઉપાડ્યો અને અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો.
યુવકની હત્યા થઈ હોવાની પરિવારને શંકા
યુવક સાથે વાત પણ કરાવી નહોતી. સંબંધીને એમ કહ્યું કે યુવકને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે.જોકે પરિવાર હોસ્પિટલ પહોંચતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવકના આખા શરીર પર માર માર્યાં ના નિશાન હતા.જેથી યુવકની હત્યા થઈ હોવાની પરિવારને શંકા થઈ હતી. પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પાર્થને એસએજી હોસ્પિટલમાં લાવ્યો છે તેમ કહીને ફોન કટ કરી દીધો
મોડી સાંજે વિશ્વજીત નામના યુવકનો ફોન આવ્યો હતો અને પાર્થને એસએજી હોસ્પિટલમાં લાવ્યો છે તેમ કહીને ફોન કટ કરી દીધો હતો જેથી તેનો સંબંધી એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો ત્યારે ત્યાં પાર્થનો મૃતદેહ મળ્યો હતો તેના આખા શરીર પર માર્યાના નિશાન હતા જ્યારે મૃતદેહ પાસે કોઈ જ હાજર ન હતું જેથી તેની હત્યા કરવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે.