'યથા દેહે તથા દેવે ' શાસ્ત્રોક્ત આ વચન અનુસાર સંતો-ભક્તો ભગવાનની સેવા પૂજા કરતા હોય છે. જેવી આપણા શરીરને સીઝન સીઝન પ્રમાણેની જરૂરીયાતો હોય છે અને તે જરૂરિયાતોને સહુ લોકો પોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડતા હોય છે.શિયાળામાં ગરમ કપડા પહેરવા ઓઢવા, હીટર રાખવા ગમે , ઉનાળામાં ઓછા અને આછા કપડા પહેરવા ગમે , એસીમાં રહેવું અનુકૂળ આવે . ઠંડુ પાણી પીવું , નદી તળાવ સ્વિમિંગ પુલમાં સ્નાન કરવું ગમે છે તેવી જ રીતે ભગવાનના ભક્તો ભગવાન પ્રત્યે ભાવના કરતા હોય. ત્યારે ગુરુકુળમાં પણ ભગવાનને ફૂલોમાંથી બનેલા વાઘા પહેરાવાયા હતાં.

