સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને સુવિધા વિસ્તરણની દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ત્રણ મુખ્ય બાબતો ચર્ચાની કેન્દ્રસ્થાન બની હતી. સુરત મનપામાં નવા IAS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. જેથી શહેરના વિકાસને વધુ સુદ્રઢ બનાવવામાં સહાયક નિવડશે તેમ માનવામાં આવે છે.

