ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજે એટલે કે 10 જુલાઈ, 2025થી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાશે. અત્યાર સુધી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના બે મેચ રમાઈ ચૂક્યા છે. બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ હતી, જેમાં ભારતની ઐતિહાસિક જીત બાદ, પાંચ મેચની આ સિરીઝ 1-1 થી બરાબર રહી હતી. એજબેસ્ટન ટેસ્ટમાં, ભારતીય ટીમ જસપ્રીત બુમરાહ વિના રમી હતી, પરંતુ તે લોર્ડ્સમાં વાપસી કરી રહ્યો છે.

