
પહેલગામ આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લીધો છે. Operation Sindoor હેઠળ કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સૈન્યએ આતંકીઓના ઠેકાણાઓને નેસ્તાનાબૂદ કરવામાં આવ્યા હતા. જેને લઈને ભુજના ભીડગેટ પાસે ઉજવણીનો માહોલ જામ્યો છે. મુસ્લિમ સમાજના યુવાનોએ ફટાકડા ફોડી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ આજે ભુજના ભીડગેટ પાસે પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. મુસ્લિમ સમાજના યુવાનોએ ફટાકડા ફોડીને ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરી હતી. મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા આ ઉજવણીનું આયોજન કરાયું હતું. સામાન્ય નાગરિકો પણ પાકિસ્તાન વિરૂદ્ધ નારેબાજીમાં જોડાતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. દેશની સેના સાથે યુવા શક્તિ ખડેપગે હોવાની ભાવના આ ઉજવણી દ્વારા વ્યક્ત કરાઈ હતી.