Home / India : 16 parties write to PM Modi to call a special session of Parliament on Operation Sindoor issue

Operation Sindoor મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ, 16 પાર્ટીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર

Operation Sindoor મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ, 16 પાર્ટીઓએ પીએમ મોદીને લખ્યો પત્ર

પહેલગામ હુમલા બાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂર અંગે ચર્ચા માટે દેશના ૧૬ રાજકીય પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ તમામ પક્ષોએ પીએમ નરેન્દ્ર મોદીને સંસદનું ખાસ સત્ર બોલાવીને ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાની માંગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં AITMCના નેતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું, "આપણે બધા અહીં છીએ, આજે તમિલનાડુમાં એક મહત્વપૂર્ણ દિવસ છે, સ્વર્ગસ્થ કરુણાનિધિની ૧૦૨મી જન્મજયંતિ છે એટલે કોઈ DMK સાંસદ નહીં આવે. ૧૬ પક્ષોએ પીએમને પત્ર લખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે. પત્રમાં પૂંછ, ઉરી વિશે વાત કરવામાં આવી છે. સરકાર સંસદ પ્રતિ જવાબદાર છે, સંસદ લોકો પ્રત્યે જવાબદાર છે."
 

તેમણે જણાવ્યું કે આ પક્ષોમાં કોંગ્રેસ, SP, AITC, DMK, શિવસેના (UBT), RJD, JKNC, CPI(M), IUML, CPI, RSP, JMM, VCK, કેરળ કોંગ્રેસ, MDMK, સીપીઆઈ (એમએલ લિબરેશન)નો સમાવેશ થાય છે.

ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કેમ કરી?

સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રાજદ્વારી મોરચે વડાપ્રધાન છેલ્લા ઘણા વર્ષોથી ઘણા દેશોની મુલાકાત લઈ રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, પરંતુ તેમના કહેવાતા મિત્ર 'મિસ્ટર ટ્રમ્પ' એ યુદ્ધવિરામની જાહેરાત કરી. આ બાબતો દેશ માટે ચિંતાજનક છે. આ મુદ્દાઓ પર ચર્ચા કરવી જરૂરી છે. ટ્રમ્પની જાહેરાતથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા ઘટી છે. આ અંગે ચર્ચા કરવા સંસદ સત્ર બોલાવવું જરૂરી છે.

Related News

Icon