Governor Haribhau Bagde On Jodha-Akbar: અત્યાર સુધી આપણે પુસ્તકોમાં વાંચતા આવ્યા છીએ કે, આમેરના રાજા ભારમલે પોતાની દીકરી જોધાના લગ્ન મુઘલ શાસક અકબર સાથે કર્યા હતા. જોધા અકબરની પાંચ પત્નીઓમાં પ્રમુખ હતી. જોધા અને અકબરના પુત્ર સલીમ (જહાંગીર) વિશે પણ ઈતિહાસમાં ભણાવવામાં આવ્યું છે, પરંતુ હવે રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ આ બધી વાતો ખોટી ગણાવતા એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે.

