બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી BJP ઉમેદવાર કંગના રનૌતે હવે હિન્દુ રાષ્ટ્રને લઈને મોટું નિવેદન આપ્યું છે. કુલ્લુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કંગનાએ કહ્યું હતું કે, જ્યારે 1947માં ધર્મના આધારે પાકિસ્તાન બનાવવામાં આવ્યું હતું તો ત્યારે જ ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર કરવામાં ન આવ્યું?

