Home / India : Know lesser known facts about Dr BR Ambedkar

સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા Dr. BR Ambedkar, અહીં જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા Dr. BR Ambedkar, અહીં જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ડો. ભીમરાવ આંબેડકર (Dr. BR Ambedkar) નો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ જિલ્લામાં એક દલિત પરિવારમાં થયો હતો. દર વર્ષે 14 એપ્રિલના રોજ આંબેડકર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બાબા સાહેબ (Dr. BR Ambedkar) ને ભારતીય બંધારણના પિતા પણ કહેવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બાબા સાહેબ માત્ર ભારતીય બંધારણના નિર્માતા જ નહતા, પરંતુ તેઓ એક મહાન સમાજ સુધારક, વિચારક અને શિક્ષણના પ્રતીક પણ હતા. તેમણે મહિલાઓના અધિકારો માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. આજે, તેમની જન્મજયંતિ નિમિત્તે, ચાલો તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જાણીએ, જે કદાચ તમે પહેલા નહીં સાંભળ્યા હોય.

સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા

ભારતની આઝાદી પછી, જ્યારે દેશને મજબૂત કાનૂની આધાર આપવાની જરૂર હતી, ત્યારે બાબા સાહેબ (Dr. BR Ambedkar) ને ભારતના પ્રથમ કાયદા મંત્રી બનાવવામાં આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા સામાજિક સુધારાઓનો પાયો નાખ્યો હતો.

બંધારણ ઘડવાની જવાબદારી

29 ઓગસ્ટ 1947ના રોજ, તેમને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, જે આજે પણ દેશનો પાયો છે.

સાચી અટક 'અંબાવડેકર' હતી

ડો. આંબેડકરની સાચી અટક 'આંબેડકર' હતી. તે તેમના પૂર્વજોના ગામ અંબાવડે (જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે. જોકે, એક શાળાના શિક્ષક મહાદેવ આંબેડકરે પ્રેમથી તેમની અટક બદલીને 'આંબેડકર' રાખ્યુંરાખી અને ત્યારથી તેઓ આ નામથી ઓળખાય છે.

શ્રમિકો માટે નિયમો બદલાયા

તમને જણાવી દઈએ કે 1942માં, ભારતીય શ્રમ પરિષદના 7મા સત્રમાં, તેમણે કામના કલાકો 12થી ઘટાડીને 8 કલાક કર્યા હતા. આનાથી મજૂર વર્ગને મોટી રાહત મળી હતી.

ડબલ ડોક્ટરેટ મેળવનાર પ્રથમ ભારતીય

ડો. આંબેડકર (Dr. BR Ambedkar) માત્ર વિદેશથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવનાર પ્રથમ ભારતીય જ નહતા, પરંતુ દક્ષિણ એશિયામાં અર્થશાસ્ત્રમાં ડબલ ડોક્ટરેટ મેળવનારા પ્રથમ વ્યક્તિ પણ હતા.

હિન્દુ કોડ બિલના સમર્થક

તેઓ હંમેશા મહિલાઓના અધિકારો વિશે વાત કરતા. આ માટે તેમણે સંસદમાં હિન્દુ કોડ બિલ પણ રજૂ કર્યું હતું. જોકે, જ્યારે બિલ પાસ ન થયું, ત્યારે તેમણે કાયદા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અભ્યાસમાં તેજસ્વી હતા

કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, તેમણે અર્થશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્ર, ફિલસોફી, રાજકારણ, ફ્રેન્ચ અને જર્મન જેવા ઘણા વિષયોનો અભ્યાસ કર્યો હતો. તેમણે ફક્ત અર્થશાસ્ત્રના 29 કોર્સ પૂર્ણ કર્યા હતા. આ એક મોટી વાત હતી.

અનેક ભાષાઓ અને ધર્મોનું જ્ઞાન હતું

બાબા સાહેબ (Dr. BR Ambedkar) ને 9 ભાષાઓનું જ્ઞાન હતું. તેઓ હિન્દી, પાલી, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, ફારસી, ફ્રેન્ચ, જર્મન અને ગુજરાતી ભાષાઓ જાણતા હતા. તેમણે 21 વર્ષ સુધી વિશ્વના મુખ્ય ધર્મોનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો હતો.

રાજ્યોના વિભાજન માટે સૂચન

તેમના પુસ્તક 'થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ્સ' (1955) માં, તેમણે મધ્યપ્રદેશ અને બિહારના વિભાજનનું સૂચન કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. આ વિચાર 2000માં સાકાર થયો જ્યારે છત્તીસગઢ અને ઝારખંડની રચના થઈ.

બુદ્ધની ખુલ્લી આંખોવાળું પહેલું ચિત્ર બનાવ્યું

ડો. આંબેડકર (Dr. BR Ambedkar) એક સારા ચિત્રકાર પણ હતા. તેઓ ભગવાન બુદ્ધનું ખુલ્લી આંખોવાળું ચિત્ર બનાવનારા પહેલા વ્યક્તિ હતા. આ પહેલા, બુદ્ધની મૂર્તિઓ અને ચિત્રોમાં સામાન્ય રીતે તેમની આંખો બંધ દેખાતી હતી.

Related News

Icon