Home / India : Know when the rainy season will arrive in Kerala

આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળ અને ગુજરાતમાં ક્યારથી નૈઋત્યની વર્ષા ઋતુ બેસશે

આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળ અને ગુજરાતમાં ક્યારથી નૈઋત્યની વર્ષા ઋતુ બેસશે

એટલે કે આંદામાન,નિકોબાર, બંગાળના ઉપસાગર તરફથી પણ કેરળ સુધીના આગમન માટેનાં કુદરતી પરિબળો ઘણાં સાનુકુળ બની રહ્યાં છે. સાથોસાથ નૈઋત્યની વર્ષા ઋતુ આવતા 3-4 દિવસ દરમિયાન  અરબી સમુદ્રના દક્ષિણ હિસ્સામાં, માલદીવ, કોમોરીન (કન્યાકુમારી) વિસ્તાર, બંગાળના ઉપસાગરના વધુ વિસ્તાર, આખા આંદામાન -નિકોબારના સંપૂર્ણ ટાપુ વિસ્તારમાં પણ આગળ વધે તેવાં કુદરતી પરિબળો પણ અનુકુળ બની રહ્યાં છે. આમ  આ બધાં  કુદરતી પરિબળો આ જ રીતે  સાનુકુળ બની રહેશે તો નૈઋત્યની વર્ષા ઋતુનું કેરળ આગમન 2025ની 27,મે એ થવાની પૂરી શક્યતા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાલના તબક્કે તો નિકોબાર ટાપુઓમાં મધ્યમથી ભારે વર્ષા થઇ રહી છે. ઉપરાંત, હજી આવતા બે દિવસ દરમિયાન પણ નિકોબાર  ટાપુઓમાં મુશળધાર વરસાદ વરસવાની સંભાવના  છે.હાલ છેલ્લા બે દિવસથી  આંદામાન, નિકોબાર,બંગાળના ઉપસાગરમાં પશ્ચિમના પવનો પૂરી તીવ્રતાથી ફૂંકાઇ રહ્યા છે.વળી, પશ્ચિમના પવનો સમુદ્રની સપાટીથી 1.5 કિલોમીટરની ગતિએ ફૂંકાઇ રહ્યા છે

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ(નિવૃત્ત) સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી આપતાં કહ્યું  છે કે ભારતમાં  નૈઋત્યના ચોમાસાનું આગમન આંદામાન-- નિકોબોરમાં તેની કુદરતી પરંપરા  અને ચક્ર કરતાં થોડું વહેલું થાય તે માટે એક કરતાં વધુ  કુદરતી પરિબળો સાનુકુળ હોય છે. 

ઉદાહરણરૂપે આંદામાન સમુદ્રમાં અને નિકોબાર ટાપુઓમાં સતત ત્રણ દિવસ સુધી સંતોષકારક વર્ષા થાય, પવનની દિશા ઇશાનમાંથી બદલાઇને નૈઋત્યની થાય, પવનની ગતિ નિશ્ચિત પ્રમાણમાં રહે, સમુદ્રની સપાટીનું તાપમાન ઘટે અને ઠંડુ થાય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા કરતાં વધુ રહે, સમુદ્રમાંથી  ભરપૂર કરન્ટ મળી રહે. આ બધાં કુદરતી પરિબળો એક સાથે સાનુકુળ બની રહે તો નૈઋત્યની વર્ષા ઋતુનું આગમન આંદામાન સમુદ્રમાં અને નિકોબારના ટાપુઓ સહિત બંગાળના ઉપસાગરમાં પણ વહેલું  થાય.

Related News

Icon