પહેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા બદલો લઇ લીધો છે. આ સાથે જ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતના કેટલાક શહેરો પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના લાહોર-કરાચી સહિતના શહેરો પર ડ્રોનથી હુમલા કર્યા હતા.

