
જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં સબ ડિવિઝનમાં ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં એલઓસી પાસે લેન્ડમાઇન ભયાનક વિસ્ફોટ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચથી છ જવાનો ઘાયલ થયા છે. તમામની હાલત સ્થિર છે. તેમને આર્મી હોસ્પિટલ રાજૌરી રિફર કરવામાં આવ્યા છે. વિગતવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં પતંગ દોરી વાગતાં 3 મોતઃ રાજકોટમાં બાઈક ચાલકનું મોત, હાલોલમાં 5 વર્ષના બાળકનું ગળું કપાયું
સેનાના દળે ભૂલથી લેન્ડમાઈન્ડ પર પગ મૂકતા બ્લાસ્ટ
સૂત્રોના જણાવ્યા મુજબ નિયમિત પેટ્રોલિંગ કરતા સેનાના દળે ભૂલથી એક લેન્ડમાઈન્ડ પર પગ રાખી દીધો હતો, જેના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ સૈનિકોને તુરંત રાજૌરીની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ VIDEO: મેમુ ટ્રેનના 5 કોચ પાટા પરથી ઉતરી ગયા, આ રાજ્યમાં લોકો પાયલટની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી
અગાઉ પૂંચમાં વિસ્ફોટ થયો હતો
વિસ્ફોટ થયાની માહિતી મળતાં જ ત્યાં સેનાના જવાનો, પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત આસપાસ પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પહેલા નવમી ડિસેમ્બર-2024ના રોજ જમ્મુના પૂંચમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક જવાન શહીદ થયા હતા. ઓક્ટોબર 2024માં કુપવાડામાં સુરંગ વિસ્ફોટ થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા.