Home / India : Narendra Mann appointed as Public Prosecutor against Tahawwur Rana

Tahawwur Rana વિરૂદ્ધ નરેન્દ્ર માન પબ્લિક પ્રૉસિક્યુટર નિયુક્ત, NIAની કોર્ટમાં તપાસ એજન્સીનો પક્ષ મુકશે

Tahawwur Rana વિરૂદ્ધ નરેન્દ્ર માન પબ્લિક પ્રૉસિક્યુટર નિયુક્ત, NIAની કોર્ટમાં તપાસ એજન્સીનો પક્ષ મુકશે

Tahawwur Rana Extradition Updates: મુંબઇમાં 26 નવેમ્બર 2008માં થયેલા આતંકી હુમલા પાછળના ષડયંત્ર સાથે જોડાયેલા એક મહત્ત્વના કેસમાં કેન્દ્ર સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકારે એડવોકેટ નરેન્દ્ર માનને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) તરફથી કેસની સુનાવણી માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર નિયુક્ત કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી વિરૂદ્ધ કેસની સુનાવણી કરશે

આ નિયુક્તિ NIAના કેસ નંબર RC-04/2009/NIA/DLI સાથે સંબંધિત છે, જે પાકિસ્તાન મૂળના તહવ્વુર હુસૈન રાણા અને ડેવિડ કોલમેન હેડલી વિરૂદ્ધ છે. આ બન્ને પર 26/11 હુમલાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ છે. હવે નરેન્દ્ર માન આ કેસની સુનાવણી માટે NIAની સ્પેશ્યલ કોર્ટ, દિલ્હી સંબંધિત અપીલ કોર્ટમાં કરશે.

ત્રણ વર્ષનો સમય અથવા ટ્રાયલ પૂર્ણ થવા સુધી જવાબદારી

નરેન્દ્ર માનને આ જવાબદારી ત્રણ વર્ષ માટે સોપવામાં આવી છે, જે આ નિયુક્તિનું નોટિફિકેશન જાહેર થવાની તારીખથી લાગુ માનવામાં આવશે.જો ટ્રાયલ આ પહેલા પૂર્ણ થઇ જાય છે તો તેમની જવાબદારી ત્યાં જ સમાપ્ત થઇ જશે.

 

 

TOPICS: tahawwur rana
Related News

Icon