
પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે આતંકવાદ સામેની તેની નીતિ વધુ આક્રમક બનાવી અને 6-7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, ભારતની ત્રણેય સેનાઓએ સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં સ્થિત કુલ 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.
આ ઓપરેશન મધરાત્રે 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું અને તેનો ઉદ્દેશ્ય આતંકવાદી લોન્ચપેડ અને શસ્ત્રોના ડેપોનો નાશ કરવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
આ વિસ્તારોને લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય સેનાની એરસ્ટ્રાઈકમાં 90થી વધુ આતંકીઓ ઠાર મરાયા છે. જેમાં મુરદીકેમાં જ 30 આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો છે.