
ભારત - પાકિસ્તાનના તણાવ વચ્ચે શનિવારે (10 મે) સીઝફાયરની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સીઝફાયરના ત્રણ કલાકમાં જ પાકિસ્તાને ફરી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેનો ભારતે વળતો જવાબ આપ્યો હતો. આ દરમિયાન ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન સામે આવ્યું છે. ભારતીય વાયુસેનાએ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાણકારી આપતા કહ્યું કે, 'ઓપરેશન સિંદૂર' હજુ શરૂ છે.
ભારતની ત્રણેય સેનાના DGMOની પ્રેસ કોન્ફરન્સ
ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાન સાથેના તણાવ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ રહી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG એર ઓપ્સ) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદ હાજર રહ્યા છે.
https://twitter.com/ANI/status/1921554203748835549
હુમલા માટે નવ આતંકવાદી છાવણીઓ, 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
સેનાના અધિકારીઓએ ફોટોગ્રાફ્સ સાથે વિગતવાર સમજાવ્યું કે સ્ટ્રાઈક પહેલા પરિસ્થિતિ કેવી હતી અને સેનાની કાર્યવાહી પછીનું દ્રશ્ય કેવું હતું. તેમણે કહ્યું કે ભારતના બદલાના ડરથી કેટલાક આતંકવાદી ઠેકાણા ખાલી કરાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂર માટે, હુમલા માટે નવ આતંકવાદી છાવણીઓ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી. 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા.
https://twitter.com/ANI/status/1921555800222240824
યુસુફ અઝહર, અબ્દુલ મલિક અને મુદાસિર અહેમદ જેવા મોટા આતંકવાદીઓ માર્યા ગયા
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે પહેલગામમાં ભારતીય નાગરિકો પર થયેલા હુમલા બાદ ઓપરેશન સિંદૂરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો સ્પષ્ટ લશ્કરી ઉદ્દેશ્ય હતો આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કરવાનો. અમે સરહદ પાર આતંકવાદી છાવણીઓની ઊંડાણપૂર્વક ઓળખ કરી. પરંતુ ત્યાં ઘણા છુપાવાનાં સ્થળો પહેલાથી જ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા, પરંતુ અમને આવા 9 છુપાવાનાં સ્થળો મળ્યાં જેને અમારી એજન્સીઓએ સક્રિય જાહેર કર્યા. આમાંના કેટલાક ઠેકાણા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં હતા અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા - જેમ કે મુરીદકે, જે કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. અમારા હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદ જેવા ઉચ્ચ મૂલ્યના લક્ષ્યોનો સમાવેશ થાય છે. આ આતંકવાદીઓ IC 814 હાઇજેકિંગ અને પુલવામા હુમલામાં સામેલ હતા. જનરલ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ગુરુદ્વારા જેવા નાગરિક વિસ્તારોને પણ તેમના દ્વારા નિશાન બનાવવામાં આવ્યા.
ભારતીય ગોળીબારમાં 35-40 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા
9 અને 10 મેની રાત્રે પણ પાકિસ્તાને એરફિલ્ડ અને મહત્વપૂર્ણ સ્થાપનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. સેના અને વાયુસેનાની સંકલિત હવાઈ સંરક્ષણ પ્રણાલીને કારણે દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો. ભારતીય ગોળીબારમાં પાકિસ્તાની સેનાના 35-40 સૈનિકો માર્યા ગયા.
પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા: ડીજીએમઓ
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભૂતકાળમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ આ પ્રયાસો મોટાભાગે નિષ્ફળ ગયા હતા. પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલો દ્વારા અનેક લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સમયસર આ બધા જોખમોને નિષ્ફળ બનાવ્યા.
કડક કાર્યવાહી કરવા સૂચનાઓ જારી
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, "સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની વારંવાર થતી સરહદ ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે."
https://twitter.com/ANI/status/1921556428369637788
'ઓપરેશન સિંદૂર' યથાવત
ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરેશન શરૂ રહોવાની જાણકારી આપતા લખ્યું કે, ભારતીય વાયુસેના (IAF)એ ઓપરેશન સિંદૂરમાં પોતાના નિર્ધારિત કાર્યોને સટીકતા અને વ્યવસાયિકતા સાથે સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. ઓપરેશન રાષ્ટ્રીય હેતુના અનુરૂપ સમજી-વિચારી અને વિવેકપૂર્ણ રીતે સંચાલિત કરવામાં આવ્યું છે. જોકે, ઓપરેશન હજુ શરૂ છે, તેથી આ યોગ્ય સમયે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે.'
આ સાથે જ ભારતીય વાયુસેનાએ તમામ અટકળો તેમજ અનધિકૃત માહિતી શેર ન કરવાની અપીલ કરી હતી.