Home / India : Pakistani drone attack in Jammu

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ પર હુમલો

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ પર હુમલો

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુમાં હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારત અને પાકિસ્તાન હવે યુદ્ધની અણી પર ઉભા છે, માહિતી અનુસાર જમ્મુ હવાઈ પટ્ટી પર રોકેટ છોડવામાં આવ્યો છે. સાંબામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, જમ્મુના આરએસપુરા વિસ્તારમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે, અહીં સાયરન વાગી રહ્યા છે. જમ્મુ શહેરમાં મોબાઇલ નેટવર્ક કામ કરી રહ્યા નથી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એસપી વૈદ્ય, પૂર્વ ડીજીપીએ જણાવ્યું છે કે, જમ્મુમાં એલર્ટ જાહેર કરાયું છે, કોઈ એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે. આખાય જમ્મુમાં બ્લેક આઉટ કરાયું છે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે.

શ્રીનગર એરપોર્ટ પર હાઇ એલર્ટ, એર ડિફેન્સ બેટરીઓ સક્રિય

સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને શ્રીનગર એરપોર્ટને ઉચ્ચ સુરક્ષા એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના હવાઈ ઘૂસણખોરી અથવા ડ્રોન હુમલાનો સામનો કરવા માટે એર ડિફેન્સ બેટરીઓ સક્રિય કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે તૈયાર છે અને એરપોર્ટ પર દેખરેખ કડક બનાવવામાં આવી છે.

દરમિયાન, ભારતીય સેનાએ પૂંછમાં બે કામિકાઝ ડ્રોનને તોડી પાડ્યા છે. આ ડ્રોન સરહદ પારથી આવી રહ્યા હતા અને ભારતીય સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સમયસર તેનો નાશ કરવામાં આવ્યો.

પૂંછમાં ભારે ગોળીબાર, પંજાબના ઘણા જિલ્લાઓમાં અંધારપટ

ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. જમ્મુ, પંજાબ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ ગંભીર બની ગઈ છે. પૂંછમાં ભારે રોકેટ આર્ટિલરી ફાયરનો વિનિમય શરૂ થયો છે, જ્યાં બંને પક્ષોના સૈનિકો સક્રિય છે. દરમિયાન, પંજાબના ઘણા સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ છે. ફિરોઝપુર અને હોશિયારપુરમાં રાત્રે 8:30 વાગ્યાથી વીજળી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે સુરક્ષા કારણોસર જાલંધરમાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

જેસલમેરમાં પાકિસ્તાન તરફથી ભારે તોપમારો થયાના અહેવાલો પણ મળ્યા છે, જ્યારે જમ્મુના રાજૌરીમાં ડ્રોન પ્રવૃત્તિને ભારતીય વાયુ સંરક્ષણ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી. કુપવાડાના તંગધાર વિસ્તારમાં પાકિસ્તાન ભારે ગોળીબાર કરી રહ્યું છે, જેનો ભારતીય સેના યોગ્ય જવાબ આપી રહી છે. આ ઘટનાઓ વચ્ચે, જાલંધર અને અન્ય સરહદી વિસ્તારોમાં પોલીસ અને સુરક્ષા દળો દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે, અને કોઈપણ અણધારી પરિસ્થિતિ ટાળવા માટે જનતાને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

 

Related News

Icon