Home / India : Those who convert people will be given the death penalty, the CM of this state announced

ધર્માંતરણ કરાવનારોઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે, આ રાજ્યના CMએ કરી જાહેરાત

ધર્માંતરણ કરાવનારોઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે, આ રાજ્યના CMએ કરી જાહેરાત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ધર્મ પરિવર્તનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ધર્મ પરિવર્તનની મંજૂરી આપવામાં આવશે નહીં. આ માટે ધાર્મિક સ્વતંત્રતા બિલમાં ફેરફાર કરવામાં આવશે. આવું કરનારાઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મધ્યપ્રદેશમાં લોકોનું ધર્માંતરણ કરાવનારોઓને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે આ જાહેરાત કરી છે. મોહન યાદવે કહ્યું કે, ધાર્મિક સ્વતંત્રતા કાયદા દ્વારા, અમે એવી જોગવાઈ કરી રહ્યા છીએ કે જે લોકો લોકોનું ધર્માંતરણ કરાવે છે તેમને અમારી સરકાર દ્વારા ફાંસી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે 1.27 કરોડ મહિલાઓના ખાતામાં લગભગ 1552.73 કરોડ રૂપિયા અને 26 લાખ મહિલાઓના ખાતામાં ગેસ રિફિલિંગ માટે 55.95 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે અનેક મહિલાઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે રાષ્ટ્રમાતા પદ્માવતી પુરસ્કાર (2023), રાજમાતા વિજયારાજે સિંધિયા સમાજ સેવા પુરસ્કાર (2023-24), રાણી અવંતિ બાઈ વીરતા પુરસ્કાર (2024) અને શ્રી વિષ્ણુ કુમાર મહિલા અને બાળ કલ્યાણ સમાજ સેવા સન્માન પુરસ્કાર (2024) થી સન્માનિત કર્યા.

'સરકાર ગેરવર્તણૂકના કેસોમાં ખૂબ કડક છે'

રાજધાની ભોપાલના કુશાભાઉ ઠાકરે કન્વેન્શન હોલમાં આયોજિત કાર્યક્રમમાં લાભાર્થી મહિલાઓએ પણ પોતાના અનુભવો શેર કર્યા. આ પ્રસંગે મોહન યાદવે જણાવ્યું હતું કે સરકાર માસૂમ છોકરીઓની છેડતીના કેસોમાં ખૂબ જ કડક છે. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. જેથી બળજબરીથી કે લાલચ આપીને નિર્દોષ લોકો સાથે દુષ્કર્મ કરનારાઓને જીવવાનો અધિકાર ન મળે.

ધર્માંતરણની ઘટનાઓ પર નજર

આ સાથે, ધાર્મિક સ્વતંત્રતા કાયદામાં ફેરફાર કરીને હવે લોકોનું ધર્માંતરણ કરાવનારોઓને મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવશે. આ પગલાથી રાજ્યમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓ પર કડક નજર રાખવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ધર્માંતરણ કે ગેરવર્તનને સમાજમાં સ્થાન મળશે નહીં. સરકાર આ ઘૃણાસ્પદ કૃત્યોને પ્રોત્સાહન આપનારાઓ સાથે કડક કાર્યવાહી કરશે.

 

 

Related News

Icon