Home / India : True leadership doesn't need advertisements, even leaders are racist

'સાચા નેતૃત્વને જાહેરાતોની જરૂર ન હોય, નેતાઓ પણ જાતિવાદી હોય છે...', નીતિન ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ

'સાચા નેતૃત્વને જાહેરાતોની જરૂર ન હોય, નેતાઓ પણ જાતિવાદી હોય છે...', નીતિન ગડકરીના નિવેદનથી રાજકીય ભૂકંપ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના બેબાક નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે શનિવારે તેમણે કહ્યું હતું કે લોકો જાતિવાદી નથી હોતા, પરંતુ નેતાઓ પોતાના સ્વાર્થ માટે જાતિવાદી બની જાય છે. ગડકરીએ કહ્યું કે કોણ વધુ પછાત છે તે અંગે હરિફાઈ ચાલી રહી છે. સામાજિક અસમાનતા દૂર કરવાની જરૂર છે. જાતિગત ભેદભાવનો અંત લાવવો જોઈએ. આ પ્રક્રિયા "પોતાનાથી" શરૂ કરવી જોઈએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાતિના રાજકીય હથિયાર તરીકે ઉપયોગને વખોડ્યો 

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાતિના રાજકીય હથિયાર તરીકે ઉપયોગની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને દલીલ કરી હતી કે સાચા અર્થમાં સામાજિક ઉત્થાનની જગ્યાએ ચૂંટણી લાભ ખાટવા કૃત્રિમ રીતે વિભાજન પેદા કરવામાં આવે છે. 

વોટબેન્ક અંગે શું કહ્યું? 

અમરાવતીમાં ડૉ. પંજાબરાવ ઉર્ફે ભાઉસાહેબ દેશમુખ મેમોરિયલ એવોર્ડ સમારોહને સંબોધતા ગડકરીએ રાજકારણની ફરી વ્યાખ્યા કરવા માટે હાકલ કરી જે ઓળખ આધારિત વોટબેંક વ્યૂહરચનાઓ કરતાં વિકાસને પ્રાથમિકતા આપવામાં આવે છે. ગડકરીએ કહ્યું કે પછાતપણાની ચર્ચા રાજકીય વાટાઘાટોમાં સામાજિક ન્યાયથી હટીને સોદાબાજીનો વિષય બની ગઈ છે.

સાચા નેતૃત્વને જાહેરાતોની જરૂર ન હોય... 

ગડકરીએ ભારપૂર્વક કહ્યું કે સાચા નેતૃત્વને પોસ્ટરો કે જાહેરાતોની જરૂર નથી હોતી. રાજકારણ સ્વ-પ્રમોશન કરતાં સમાજ સેવા પર આધારિત હોવું જોઈએ. નેતાઓ ચૂંટણી લાભ માટે પોતાના સમુદાયોને વધુ પછાત સાબિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. ગડકરીએ કહ્યું કે મેં ચૂંટણી લડી અને લોકોને સ્પષ્ટ કહ્યું કે હું મારી શરતો પર રાજકારણ કરીશ, ભલે તેઓ મને મત આપે કે ન આપે. મારી ફરજ એ છે કે હું કોઈપણ પક્ષપાત કે સમાધાન વિના બધાના વિકાસ માટે કામ કરું. તેમણે ચૂંટણીના વધતા વ્યવહારિક સ્વભાવ પર પણ શોક વ્યક્ત કર્યો અને પ્રચાર પર વધુ પડતા નાણાં ખર્ચવામાં આવતા હોવાનો ઉલ્લેખ કર્યો.

Related News

Icon