Home / India : When will the government give MSP to farmers? Shivraj Singh gave answer

VIDEO: મોદી સરકાર ખેડૂતોને ક્યારે MSP આપશે? કૃષિમંત્રી શિવરાજ સિંહે રાજ્યસભામાં આપ્યો આ જવાબ

VIDEO: મોદી સરકાર ખેડૂતોને ક્યારે MSP આપશે? કૃષિમંત્રી શિવરાજ સિંહે રાજ્યસભામાં આપ્યો આ જવાબ

રાજ્યસભામાં આજે એમએસપી મુદ્દે ભારે હોબાળો થયો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદે સરકારને સવાલ કરતા કહ્યું કે, સરકાર ખેડૂતોને MSP ક્યાં સુધીમાં આપશે? આનો જવાબ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપ્યો. તેમણે કહ્યું કે ખેડૂતો આપણા માટે ભગવાન સમાન છે અને ખેડૂતની સેવા કરવી એ અમારા માટે પૂજા સમાન છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિવરાજ સિંહે રાજ્યસભામાં રચાયેલી સમિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેના ત્રણ ઉદ્દેશ્ય છે. તેમાંથી પ્રથમ MSP ઉપલબ્ધ કરાવવા સાથે સિસ્ટમને પારદર્શક બનાવવાનો છે. બીજો ઉદ્દેશ્ય કૃષિ ભાવો માટે વધુ સ્વાયત્તતા પ્રદાન કરવાનો છે અને ત્રીજો ઉદ્દેશ્ય કૃષિ વિતરણ વ્યવસ્થા માટે સૂચનો આપવાનો છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે અત્યાર સુધીમાં 22 બેઠકો થઈ ચૂકી છે. સમિતિ દ્વારા જે પણ ભલામણ કરવામાં આવશે તેના પર વિચાર કરવામાં આવશે. 

સપા સાંસદે કહ્યું કે જલેબી જેમ મુદ્દાને ગોળ ફેરવવાના બદલે  MSP પર સીધો જવાબ માંગ્યો. સરકારને કહ્યું કે, સ્પષ્ટ કરો કે MSP ક્યારે લાગુ કરવામાં આવશે. જેઓ ખેડૂતોને ભગવાન કહી રહ્યા છે તેમને ખેડૂતો સાથે કોઈ લેવાદેવા નથી. આનો જવાબ આપવાથી તમે બચી નહીં શકો. 

આ પછી જગદીપ ધનખરે કહ્યું કે રામ શિવને પ્રશ્નો પૂછે છે. તેના જવાબમાં શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે MSPના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણા આરોપો છે. આ તદ્દન ખોટા આરોપો છે. સરકાર પાસે છ મુદ્દાની વ્યૂહરચના છે. 
  
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદન વધે તેવા પ્રયાસો કર્યા. અમને ખેડૂત વિરોધી કહેવામાં આવી રહ્યા છે. ખેડૂતો માટે પીએમ મોદીથી મોટું કોઈ હિતૈષી નથી. યોગ્ય ભાવ આપવા કમિટિનો રિપોર્ટ આવશે ત્યારે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કૃષિ મંત્રીએ પાકના MSP ભાવમાં વધારાના આંકડા બતાવ્યા કહ્યું કે 23 પાકના ભાવ જોઈ લો. 

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે સુરજેવાલા સરકાર કરતા વધુ એમએસપી આપી છે. અમે ખેડૂતોના હિતમાં સતત નિર્ણયો લઈ રહ્યા છીએ. કિસાન સન્માન નિધિની સાથે ચૌહાણે ઘઉં અને ડાંગરની ખરીદીમાં થયેલા વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. શિવરાજે કહ્યું કે સરકાર ખાતર પર 1 લાખ 68 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી રહી છે. એટલું જ નહીં, સરકાર અન્ય ઘણા પગલાં પણ લઈ રહી છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ખેડૂતો ગમે તેટલી તુવેર, ચણા, અડદ સહિતના કઠોળનું ઉત્પાદન કરશે. સરકાર બધું ખરીદી લેશે.

Related News

Icon