
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરથી હૈયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ચાર બાળકોની હત્યા કરીને પિતાએ આપઘાત કરી લીધો છે. આ ઘટના પારિવારિક ઝઘડાના લીધે થઇ છે. પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. મૃતકોની ઉંમર 10 વર્ષ, 8 વર્ષની બાળકી, 7 અને 5 વર્ષનો છોકરો સામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પિતાએ પોતાના ચારેય માસૂમ બાળકોનું ગળું કાપીને હત્યા કરી હતી. ત્યારબાદ પોતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ પોલીસ મૃતકોની ડેડબોડીને કબજે કરીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના શાહજહાંપુરના માનપુર ચચરી ગામની છે. ગામમાં રહેતો રાજીવ પોતાના ઘરે એકલો હતો અને તેના ચાર બાળકો (ત્રણ પુત્રીઓ અને એક પુત્ર) પણ હતો. મોડી રાત સુધી રાજીવે પોતાની 13 વર્ષની પુત્રી સ્મૃતિ, 9 વર્ષની પુત્રી કીર્તિ, 7 વર્ષની પુત્રી પ્રગતિ અને 5 વર્ષના પુત્ર ઋષભનું ગળું કાપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી છે.
હત્યાને અંજામ આપ્યા બાદ રાજીવે પોતાને ગળે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની પીયર ગઇ હતી અને તેના પિતા ઘરની બહાર સૂતા હતા. સવારે જ્યારે તેના પિતાએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો દરવાજો અંદરથી બંધ હતો, ત્યારબાદ દરવાજો તોડીને અંદર પહોંચ્યા તો ત્યાં આ નજારો જોઇ પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
પતિપત્ની વચ્ચે રોજ કંકાસ થતો હતો
આરોપીનું નામ રાજીવ કુમાર હતું. તે લગભગ 36 વર્ષનો હતો. બુધવારે રાત્રે કોઈક સમયે, તેના બાળકોને મારી નાખ્યા પછી, તેણે આત્મહત્યા કરવાનું ભયાનક પગલું ભર્યું. સવારે માહિતી મળતાં ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. ગુરુવારે સવારે લાંબા સમય સુધી ઘરમાં કોઈ હિલચાલ ન થતાં પરિવારને શંકા ગઈ. જ્યારે રાજીવના પિતાએ ઘરનો દરવાજો તોડ્યો ત્યારે બાળકોના મૃતદેહ અંદર પલંગ પર પડ્યા હતા. રાજીવનો મૃતદેહ ફાંસી પર લટકતો હતો.
ગામલોકોનું કહેવું છે કે રાજીવનો તેની પત્ની ક્રાંતિ સાથે રોજ ઝઘડો થતો હતો. પત્ની એક-બે દિવસ પહેલા જ તેના માતાપિતાના ઘરે ગઈ હતી. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. રાજીવ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેનો પોતાના ગુસ્સા પર કોઈ કાબુ નહોતો. તેની પત્ની તેના માતાપિતાના ઘરે ગઈ ત્યારથી તે ખૂબ ગુસ્સે હતો. ગુસ્સાને કારણે, તેણે પહેલા બાળકોને તીક્ષ્ણ હથિયારથી મારી નાખ્યા. પછી તેણે પણ આત્મહત્યા કરી.