Home / India : SC directs Home Ministry to stop appointment of IPS officers in paramilitary forces

અર્ધલશ્કરી દળોમાં IPSની નિયુક્તિ થશે બંધ, સુપ્રીમનો ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ

અર્ધલશ્કરી દળોમાં IPSની નિયુક્તિ થશે બંધ, સુપ્રીમનો ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓની નિયુક્તિ બંધ કરવાને લઈને ગૃહ મંત્રાલયને નિર્દેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, સુરક્ષા દળોમાં કાર્યકારી અને કાર્યાત્મક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેડરના અધિકારીઓને સિનિયર પદ પર તૈનાત કરવા તે જરૂરી છે. આ સાથે અર્ધલશ્કરી દળોમાં IPS અધિકારીઓના લેટરલ એન્ટ્રીને કારણે કેડર અધિકારીઓને ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આગામી બે વર્ષમાં ડેપ્યુટેશન પર આવતા IPS અધિકારીઓની નિમણૂક ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને લઈને ગૃહ મંત્રાલયને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટે અર્ધલશ્કરી દળોને લઈને નિર્ણય કર્યો છે. ત્યારે તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય પોલીસ દળોમાં અધિકારીઓની નિયુક્તિ બે રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે કેડરના અધિકારીઓની નિમણૂક આસિસ્ટન્ટ કમાન્ડન્ટથી લઈને ડીઆઈજી સુધીની હોય છે. IG થી લઈને ડાયરેક્ટર જનરલ (DG) સુધીના પદો પર ફક્ત IPS અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ IPS અધિકારીઓ થોડા સમય માટે કેન્દ્રીય નિમણૂક પર ડેપ્યુટેશન પર આવે છે. અર્ધલશ્કરી દળોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ  (CRPF), BSF અને ITBP ઉપરાંત, સશસ્ત્ર સીમા બળ (SSB), સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નો સમાવેશ થાય છે.

જ્યારે CRPF આંતરિક સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર છે, ત્યારે BSF પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદની સુરક્ષા માટે જવાબદાર છે. SSB નેપાળ અને ભૂટાનની સુરક્ષા માટે જવાબદાર છે અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ચીન (તિબેટ) સાથેની સરહદ માટે જવાબદાર છે. CISF દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓ અને વારસા સ્થળોની સુરક્ષા માટે જવાબદાર છે. NDRF કુદરતી અને માનવીય આફતો સામે લડવાની જવાબદારી સંભાળે છે.

કેડર અધિકારીઓ SSC દ્વારા કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે

કેડર અધિકારીઓ સર્વિસ સિલેક્શન કમિશન (SSC) પરીક્ષા પાસ કરીને કેન્દ્રીય પોલીસ દળોમાં જોડાય છે, ત્યારે ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ UPSC પરીક્ષા દ્વારા વિવિધ રાજ્ય પોલીસ સેવાઓમાં જોડાય છે. આ IPS અધિકારીઓ કેટલાક સમયથી કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર કેન્દ્રીય પોલીસ દળોમાં ઉચ્ચ પદો પર તૈનાત કરવામાં આવે છે.

ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ

તાજેતરના વર્ષોમાં, એડીજી રેન્ક સુધીના કેડર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ આવા અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી છે. આ જ કારણ છે કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટની બે સભ્યોની બેન્ચે હવે ગૃહ મંત્રાલયને કેડર સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.

Related News

Icon