Home / Gujarat / Ahmedabad : A grand aarti was performed after the water immersion ceremony of Lord Jagannath in Ahmedabad

VIDEO: અમદાવાદમાં ભગવાન જગન્નાથ પર જળાભિષેક કરાયા બાદ ભવ્ય આરતી કરવામાં આવી

આગામી 27 જૂને અષાઢી સુદ બીજ છે ત્યારે ભગવાન જગન્નાથજીની પારંપરિક 148મી રથયાત્રા યોજાશે. જોકે રથયાત્રાની પ્રારંભ વિધિ એટલે કે જળયાત્રા આજે યોજવામાં  આવી છે. આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે. જેના કારણે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની ગઈ છે. ટ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ગજવેશ બાદ ભગવાનની આરતી કરવામાં આવી

સાબરમતી નદીના ભુદરના આરે પૂજન કરાયું અને મંત્રોચ્ચાર સાથે ભુદરના આરે પૂજન કરવામાં આવ્યું, જે બાદ સાબરમતી નદીના જળનો ભગવાન જગન્નાથ પર અભિષેક કરાયો અને 108 કળશની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ  ભગવાને ગજવેશ ધારણ કરીને ભક્તોને ગજવેશમાં દર્શન આપ્યા હતા. ગજવેશ બાદ ભગવાનની આરતી કરવામાં આવી જેમા મોટી સંખ્યામા ભક્તોએ ભાગ લીધો હતો..

Related News

Icon