Home / Gujarat / Bharuch : People are very angry due to non-disposal of rainwater in Shankarnagari area of ​​Jambusar

VIDEO: જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોમાં ભારે રોષ, રોગચાળો ફેલાવવાની ભીતિ

ભરૂચના જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાવવાની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવવાની સ્થિતિના કારણે  સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે  વર્ષો જૂની ડ્રેનેજ રેલવેની કામગીરીથી  પૂરાતા વરસાદી પાણીના નિકાલમાં સમસ્યા ઉભી થઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાની શક્યતા

બીજી તરફ આ  દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાની શક્યતા છે. શંકરનગરીની મહિલાએ આરોપ લગાવ્યો કે પાણીમાં આમારા છોકરાઓ તણાશે તો જવાબદાર કોણ રહેશે.

સ્થાનિકોને પ્રાંત અધિકારીએ બે દિવસમાં સમસ્યાનો નિકાલ કરવા સૂચના આપી

સ્થાનિકોએ સમગ્ર મામલાની જાણ ધારાસભ્યને રજૂ કરી હતી.  ધારાસભ્યએ ઘટનાની જાણ પ્રાંત અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગોલી, નગરપાલિકા અને રેલવેના અધિકારીઓને કરી હતી. તમામ અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. સ્થાનિકોને પ્રાંત અધિકારીએ બે દિવસમાં સમસ્યાનો નિકાલ કરવા સૂચના આપી હતી. રહીશોએ વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી  છે.

Related News

Icon