Home / Business : Jane Street hits back at SEBI's allegations

SEBIના આરોપો પર જેન સ્ટ્રીટનો વળતો પ્રહાર, કહ્યું આ તો સામાન્ય ટ્રેડિંગ હતું

SEBIના આરોપો પર જેન સ્ટ્રીટનો વળતો પ્રહાર, કહ્યું આ તો સામાન્ય ટ્રેડિંગ હતું

ભારતના બજાર નિયમનકાર સેબીએ યુએસ હાઇ-ફ્રિકવન્સી ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ પર ભારતીય શેરબજારમાં છેડછાડ કરવાનો આરોપ લગાવીને તેના પર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેની પાસેથી $567 મિલિયન (લગભગ ₹4,700 કરોડ) જપ્ત કર્યા છે. જવાબમાં, જેન સ્ટ્રીટે તેની ટીમને એક ઇમેઇલ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ આ પ્રતિબંધને પડકારશે અને આ મામલો "સરળ ઇન્ડેક્સ આર્બિટ્રેજ ટ્રેડિંગ" સાથે સંબંધિત છે, જે બજારમાં એક સામાન્ય પ્રક્રિયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કંપનીએ કહ્યું: અમે અત્યંત નિરાશ છીએ, સેબીના આરોપો ઉશ્કેરણીજનક છે

જેન સ્ટ્રીટે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે સેબીના "અત્યંત ભડકાવનારા" આરોપોથી ખૂબ જ આઘાત પામી છે અને તેનો ઔપચારિક જવાબ તૈયાર કરી રહી છે. જોકે, ઈમેલમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે તેઓ શું કાનૂની કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.

સેબીનો આરોપ: ઇન્ડેક્સ જાણી જોઈને ઉપર ખેંચ્યો હતો

સેબીનો આરોપ છે કે, જેન સ્ટ્રીટે ભારતના બેંક નિફ્ટી ઇન્ડેક્સમાં કેટલાક શેરો મોટા પ્રમાણમાં ખરીદ્યા અને સવારે ઇન્ડેક્સને ઊંચો કરવા માટે તેમના ફ્યુચર્સમાં પણ ટ્રેડિંગ કર્યું. તે જ સમયે, કંપનીએ ઇન્ડેક્સ ઓપ્શન્સમાં શોર્ટ પોઝિશન બનાવી, જે પાછળથી ઓપ્શન્સ સમાપ્ત થયા પછી નફામાં ફેરવાઈ ગયા.

સેબીનું કહેવું છે કે તેમણે બે વર્ષથી વધુ સમયથી કંપનીની ટ્રેડિંગ પ્રવૃત્તિઓ પર નજર રાખી છે અને હવે અન્ય એક્સચેન્જો અને ઇન્ડેક્સની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

કંપનીએ કહ્યું: અમે પહેલાથી જ ફેરફારો કરી ચૂક્યા છીએ, સેબી વાત કરી રહી નથી. પરંતુ ફેબ્રુઆરીથી અત્યાર સુધી તેઓએ વારંવાર સેબીનો સંપર્ક કર્યો છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. કંપની એમ પણ કહે છે કે સેબીનો આરોપ કે તેમણે સંપૂર્ણ જવાબ આપ્યો નથી તે ખોટો છે. ભારતમાં ડેરિવેટિવ્ઝ માર્કેટનો ઝડપી વિકાસ,પણ જોખમો ય ખૂબ છે

તાજેતરના વર્ષોમાં ભારતના ડેરિવેટિવ્ઝ બજારનો ઝડપથી વિકાસ થયો છે, અને મે મહિનામાં વૈશ્વિક ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં ભારતનો હિસ્સો લગભગ 60% હતો. પરંતુ તે જ સમયે, નાના રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

નવાં આંકડા પ્રમાણે માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં રિટેલ ટ્રેડર્સને 1.06 લાખ કરોડનું નુકસાન થયું છે. સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ સોમવારે જણાવ્યું હતું કે નિયમનકાર હવે ડેરિવેટિવ્ઝમાં કોઈપણ સંભવિત હેરફેર પર નજીકથી નજર રાખશે, પરંતુ ઉમેર્યું હતું કે જેન સ્ટ્રીટ જેવા કેસ બહુ વારંવાર બનશે નહીં.

ભારતમાં સક્રિય અન્ય વિદેશી ટ્રેડિંગ કંપનીઓ

જેન સ્ટ્રીટ ઉપરાંત, ભારતમાં કાર્યરત અન્ય મુખ્ય વિદેશી વેપાર કંપનીઓમાં સિટાડેલ સિક્યોરિટીઝ, આઇએમસી ટ્રેડિંગ, મિલેનિયમ અને ઓપ્ટીવરનો સમાવેશ થાય છે. સેબી હવે તેમના પર પણ નજર રાખી શકે છે.

Related News

Icon