Zerodha: ઝેરોધાના સહ-સ્થાપક નીતિન કામતે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા ભારતીય મૂડી બજાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જેન સ્ટ્રીટ જેવી મોટી ટ્રેડિંગ કંપનીઓ પર બજારની નિર્ભરતા કેટલી હદ સુધી છે તે આગામી દિવસોમાં જાહેર થશે. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ જેન સ્ટ્રીટ અને તેની સંલગ્ન કંપનીઓને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં વેપાર કરવા પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. સેબીનો આરોપ છે કે કંપનીએ જાન્યુઆરી 2023થી માર્ચ 2025 વચ્ચે ડેરિવેટિવ ટ્રેડિંગમાં હેરાફેરી કરીને 36,000 કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો છે.

