આણંદ, નડિયાદ - ચરોતરમાં અનેક પરીવારોમાં ગમગીની છવાઈ ગઈ છે. અમદાવાદ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં મોડી સાંજ સુધી મળતી માહિતી મુજબ આણંદના ૩૩ અને ખેડા જિલ્લાના અંદાજે ૧૭ જેટલા વ્યક્તિ આ ફ્લાઈટમાં જવા નીકળ્યા હતા અને તેમના મૃત્યુ થયા હોવાની આશંકાઓ છે. હાલ તો આ તમામ મુસાફરોના પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સરકાર દ્વારા ડી.એન.એ.થી માંડી અને અન્ય કાર્યવાહીમાં ભાગ લઈ પોતાના સ્વજનોને શોધી રહ્યા છે.

