Dwarke news: દેવભૂમિ દ્વારકામાં આવેલા રૂપેણ બંદરેથી જૂના હિસાબના પરત લેવાના રૂપિયાને લઈ માંગરોળના સુમાર જુમા લખપતી નામના માછીમારનું અપહરણ થયું છે. રૂપેણ બંદરના રહેવાસી અનવર અલી અને તેના સાગરિતોએ મળીને માંગરોળના માછીમારનું અપહરણ કર્યું હતું. એક વર્ષ પહેલા સુનાર જુમા નામના માછીમારને આરોપી અનવર અલી પાસેથી 1.60 લાખ રૂપિયા લીધા હતા. રૂપિયાના બદલામાં આખી સિઝન માછીમારી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સિઝનના અંતે અપહ્યત સુમાર જુમાએ 60 હજાર અનવર અલીને પરત કર્યા હતા. બાકીના રૂપિયા ટુકડે ટુકડે આપવાનું નક્કી થયું હતું. આમ છતાં માંગરોળના માછીમારનું અપહરણ કરી ગોંધી રાખ્યો હતો. જે બાદ દ્વારકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

