મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વિવાદાસ્પદ કવિતા સંભળાવ્યા બાદ કુણાલ કામરા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આ કિસ્સામાં, કોમેડિયનની મુશ્કેલીઓ ઓછી થતી નથી લાગતી. કામરા વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે. ડેપ્યુટી સીએ એકનાથ શિંદ માટે વાંધાજનક નિવેદનો આપવાના આરોપસર ત્રણેય કેસ નોંધવામાં આવ્યા છે.

