અહિંસા, સહનશીલતા અને શાંતિના સંદેશદાતા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ સુરત શહેરમાં ભવ્ય રીતે ઉજવાઈ. શહેરના શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખથી વધુ લાડુ વિતરણ કરીને મહાવીર સ્વામીના ધર્મસંદેશને જનજન સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ થયો.

