Home / Gujarat / Anand : NCP leader Jayant Boski writes an open letter to the government regarding the mineral mafia issue

Anand news: ખનીજ માફિયાઓ મામલે NCP નેતા જયંત બોસ્કીએ સરકારને લખ્યો ખુલ્લો પત્ર

Anand news: ખનીજ માફિયાઓ મામલે NCP નેતા જયંત બોસ્કીએ સરકારને લખ્યો ખુલ્લો પત્ર

આણંદ જિલ્લામાં ખનીજ માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાની માંગ ઉઠી છે. NCPના પ્રદેશ પ્રમુખ અને ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કીએ આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ખાસ કરીને ઉમરેઠ અને આંકલાવ પંથકમાં ખનીજ ચોરીની વધતી ઘટનાઓ પર રોક લગાવવાની માંગ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આણંદ જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બની ગયા

જયંત બોસ્કીના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બની ગયા છે, જેના કારણે નદીકાંઠાના ગામોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન 

આ ગેરકાયદેસર ખનનથી પર્યાવરણને નુકસાન થવા ઉપરાંત સ્થાનિક લોકોનું જીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે ખનીજ ચોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આ સમસ્યાને કાબૂમાં લઈ શકાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

Related News

Icon