Amreli news: અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઈવે પર રસ્તાના કામને લઈ કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં આધેડ બાઈકચાલક પડી જતા ઘટનાસ્થળે જ આધેડનું મોત નિપજયું હતું. સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પાસે રોડનું ખોદકામ કરેલું હોવાથી રાત્રિના સમયે આધેડ બાઈકચાલક ખાડામાં પડી જતા ત્યાં જ મોતને ભેટયા હતા. મૃતક આધેડ રામજીભાઈ અમરેલીથી સાવરકુંડલા આવી રહ્યા હતા તે દરમ્યાન આ ઘટના બની હતી.

